schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માને બીજા જ દિવસે જાહેરાત કરી હતી કે રાજ્યના 122 પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવશે. જો કે ચુકાદા બાદ કોર્ટના વિશેષ નિર્દેશો હેઠળ જે જનપ્રતિનિધિઓને સુરક્ષા પુરી પાડવામાં આવી છે, તેમની સુરક્ષા પાછી ખેંચવામાં ન આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબ સરકારે પૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન રોકી દીધું છે.
ફેસબુક અને વોટસએપ પર “આવા નિર્ણયો પરથી એવું લાગે છે હું પોતે આમ આદમી પાર્ટી માં જોડાઈ જાઉં.” ટાઇટલ સાથે અરવિંદ કેજરીવાલની તસ્વીર શેર કરવમાં આવી રહી છે. નોંધનીય છે કે ગુજરાત આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પણ સમાન દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ ‘પંજાબમાં તમામ પુર્વ ધારાસભ્ય, પુર્વ મંત્રી, પુર્વ સાંસદ સહિત તમામ નેતાઓના પેન્શન બંધ કરવામાં આવશે.’
પંજાબ સરકારે ભૂતપૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન બંધ કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે કીવર્ડ સર્ચ કરતા, 25 માર્ચ 2022ના રોજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટ જોવા મળે છે. જે મુજબ, “પંજાબ સરકારે ધારાસભ્યોના પેન્શનને લઈને આજે મોટો નિર્ણય લીધો છે. પંજાબના ધારાસભ્યોના પેન્શન ફોર્મ્યુલામાં ફેરફાર થશે, જેના હેઠળ ધારાસભ્યો હવે માત્ર એક જ પેન્શન માટે પાત્ર હશે. ધારાસભ્યોના પેન્શન પર થનારા હજારો કરોડ રૂપિયા હવે પંજાબની જનતાના હિત માટે વાપરવામાં આવશે. ભગવંત માને પોતાના વીડિઓ સંદેશમાં કહ્યું, “પંજાબ સરકારે નક્કી કર્યું છે કે ધારાસભ્ય બે વખત જીતે, પાંચ વખત જીતે કે સાત વખત જીતે, તેને હવે માત્ર એક ટર્મ માટે પેન્શન મળશે.“
મળતી માહિતીના આધારે ગુગલ સર્ચ કરતા દૈનિક ભાસ્કર દ્વારા 25 માર્ચ 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, પંજાબના સીએમ ભગવંત માને જાહેરાત કરી હતી કે હવે રાજ્યમાં ધારાસભ્યને માત્ર એક ટર્મ માટે પેન્શન મળશે, પછી ભલે તે કેટલી વાર ચૂંટણી જીત્યા હોય. અહેવાલ મુજબ, ભગવંત માને કહ્યું કે માત્ર ધારાસભ્યોને મળતું પેન્શન જ નહીં પરંતુ તેમના પરિવારોને મળતા પેન્શન મુદ્દે પણ સંશોધન કરવામાં આવશે અને તેના વિશેની વિગતવાર માહિતી આગામી દિવસોમાં આપવામાં આવશે.
ઉપરાંત,ન્યૂઝચેકર ટિમ દ્વારા વાયરલ દાવા પર સચોટ માહિતી માટે પંજાબના AAP પ્રવક્તા જગતાર સિંહ સંઘેરાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે “પંજાબ સરકારે ધારાસભ્યો અને મંત્રીઓના પેન્શન તદ્દન બંધ કરી દીધા હોવાનો દાવો ભ્રામક છે. ધારાસભ્યોના પેન્શન નિયમોમાં ફેરફાર કરતા સાથે ભૂતપૂર્વ ધારાસભ્યોને હવે એકથી વધુ વખત પેન્શન નહીં મળે, હવે તેમને માત્ર એક જ ટર્મ માટે પેન્શન આપવામાં આવશે.
ધારાસભ્યોના પેન્શન મુદ્દે એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, રાજ્યમાં આગાઉ ધારાસભ્યો અને સાંસદોને તેમના કાર્યકાળના દરેક કાર્યકાળ માટે પેન્શન આપવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, જો કોઈ ઉમેદવાર ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો હોય તો તેને ચાર ટર્મ માટે પેન્શન આપવામાં આવતું હતું. તેને હવે પંજાબ સરકારે નાબૂદ કરી દીધી છે.
પંજાબ સરકારે ભૂતપૂર્વ ધારાસભ્યો અને મંત્રીઓનું પેન્શન બંધ કર્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ ભ્રામક છે. આપ પ્રવકતા અને મીડિયા રિપોર્ટ પ્રમાણે ભૂતપૂર્વ ધારાસભ્યોને હવે એકથી વધુ વખત પેન્શન નહીં મળે, હવે તેમને માત્ર એક જ ટર્મ માટે પેન્શન આપવામાં આવશે.
Our Source
Punjab CM Bhagwant Mann Tweet on 25/03/2022
Dainik Bhaskar Report on 25/03/2022
AAP Spokesperson Jagtar Singh Quote
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
January 6, 2025
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
|