About: http://data.cimple.eu/claim-review/3cc2f419035b0ccf04ef420c10de40d25cb83b3a2281cb455f7071f1     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિધનના નામે ફેક પોસ્ટ થઈ વાયરલ વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પોસ્ટ ફેક છે. લાલકૃષ્ણ અડવાણીના અંગત સચિવ અને ભાજપના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે વાયરલ પોસ્ટ ફેક છે અને લાલકૃષ્ણ અડવાણી જીવિત છે અને તેમના ઘરે આરામ કરી રહ્યા છે. - By: Pallavi Mishra - Published: Jul 9, 2024 at 01:04 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનું નિધન થઈ ગયું છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે તે પોસ્ટ ફેક છે. લાલકૃષ્ણ અડવાણીના અંગત સચિવ અને ભાજપના પ્રવક્તાએ અડવાણી જીવિત હોવાની પુષ્ટિ કરી છે. શું છે વાયરલ પોસ્ટમાં? વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ પોસ્ટ મોકલીને તેનું સત્ય જણાવવાની વિનંતી કરી. સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પણ વાયરલ હતી. Parmanand Saini નામના ફેસબુક યુઝરે 6 જુલાઈના રોજ લાલકૃષ્ણ અડવાણીની તસવીરને શેર કરતા લખ્યું કે “ભારતીય જનતા પાર્ટીના મહામહિમ અને સમગ્ર ભારતમાં ભગવાન શ્રી રામની રથયાત્રા કાઢીને, દરેક ઘરમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જગાવનાર યુગ પુરૂષ, ભારત રત્ન શ્રી લાલ કૃષ્ણ અડવાણીજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. પરમ પિતા પરમેશ્વર દિવ્ય આત્માને મોક્ષ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ નમન….” તપાસ તપાસ શરૂ કરતા સૌથી પહેલા અમે કીવર્ડ દ્વારા સર્ચ કર્યું. અમને ઘણા મીડિયા આઉટલેટ્સમાંથી લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્યને લઈને માહિતી મળી. તમામ મુજબ, લાલકૃષ્ણ અડવાણીને બુધવાર (3 જુલાઈ, 2024)ની રાત્રે 1 વાગ્યે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ગુરુવારે (4 જુલાઈ 2024)ની બપોર સુધીમાં તેમની તબિયત સારી થઈ ગઈ હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી અમે પુષ્ટિ માટે લાલકૃષ્ણ અડવાણીના અંગત સચિવ દીપક ચોપરાનો સંપર્ક કર્યો અને તેમની સાથે આ વાયરલ પોસ્ટ શેર કરી. તેમણે અમને કહ્યું કે, આ જાણકારી ફેક છે. લાલકૃષ્ણ અડવાણીજી સ્વસ્થ છે અને તેમના નિવાસસ્થાને આરામ કરી રહ્યા છે. અમે આ મામલે ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે પણ વાત કરી. તેમણે પણ પોસ્ટને ફેક ગણાવી. લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્યને લઈને વધુ જાણકારી આ સમાચારોમાં વાંચી શકાય છે. આ વાયરલ દાવો પરમાનંદ સૈની નામના ફેસબુક યુઝરે શેર કર્યો છે. ફેસબુક પર યુઝરના લગભગ 5000 ફ્રેન્ડ્સ છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પોસ્ટ ફેક છે. લાલકૃષ્ણ અડવાણીના અંગત સચિવ અને ભાજપના પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે વાયરલ પોસ્ટ ફેક છે અને લાલકૃષ્ણ અડવાણી જીવિત છે અને તેમના ઘરે આરામ કરી રહ્યા છે. - Claim Review : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીનું નિધન થયું છે - Claimed By : Fb User-Parmanand Saini - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software