schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
PM modi ADVT on vaccination certificate
રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 હજારથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. ત્યારે ચાર મહાનગરોમાં જાણે કે કોરોનાનો રાફડો ફાટ્યો હોય એમ કેસ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
કોરોના વાયરસના વધતા કેસ સામે સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ભ્રામક પોસ્ટ વાયરલ થયેલ જોવા મળે છે. હોસ્પિટલ ની બહાર એમ્બ્યુલન્સની લાઈન હોય કે ઓક્સિજન માટે લાઈનમાં ઉભેલા પરિવારજનો દ્વારા ઠલવાતો આક્રોશ સોશ્યલ મીડિયા પોસ્ટ પર જોવા મળે છે. કોરોના વાયરસ થી બચવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અને અપ્રામાણિત ઉપચાર અંગે અગાઉ ફેક્ટ ચેક કરવામાં આવેલ છે.
હાલ કોરોના વાયરસના વધતા સંક્ર્મણ સાથે મૃત્યુ આંક પણ ખુબજ વધી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર સ્મશાનમાં અગ્નિદાહ માટે લાગેલી લાઈનો પણ જોવા મળી રહી છે. ત્યારે ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જે સાથે દાવો કરવામાં આવેલ છે કે ‘હાલ મૃત્યુના પ્રમાણપત્ર પર પણ નરેન્દ્રમોદી ની તસ્વીર લગાવી જાહેરાત કરવામાં આવી રહી છે‘ ફેસબુક પર “જુઓ મૃત્યુના પ્રમાણપત્ર માં ખુદ યમરાજની ઉપસ્થિતી” કેપશન સાથે પોસ્ટ આમ આદમી પાર્ટી રાજકોટ ફેસબુક ગ્રુપ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.
કોરોના સંક્ર્મણ વધતા હાલ મૃત્યુ આંક પણ વધી ગયો છે, જે સંદર્ભે મૃત્યુ ના પ્રમાણપત્ર પર નરેન્દ્ર મોદી ની જાહેરાત (PM modi ADVT on vaccination certificate) આપવામાં આવી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા indiatimes દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ પ્રમાણપત્ર મૃત્યુ નોંધ અંગે નથી, વાયરલ તસ્વીર રસીકરણ પ્રક્રિયા માટે કરવામાં આવેલ ઓનલાઇન રજિસ્ટ્રેશનન છે. હાલમાં 1 મેં થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે ફ્રી રસીકરણ માટે જાહેરાત કરવામાં આવેલ છે. આ અગાઉ 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને 45થી વધુ ઉંમરમાં ગંભીર બીમારીથી પીડાતા લોકો રસી મુકાવી શકે છે. જેમાં એડવાન્સ સેલ્ફ રજીસ્ટ્રેશન, ઓન સાઈટ રજીસ્ટ્રેશન અને ફેસલિફ્ટ કોહર્ટ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શામેલ છે. (PM modi ADVT on vaccination certificate)
સેલ્ફ માટે નોંધણી કરવા માટે, તમારે Cowin 2.0 App ડાઉનલોડ કરવાની જરૂર છે. આ સિવાય તમે અન્ય એપ્લિકેશન્સ જેવી કે આરોગ્ય સેતુ અને કો-વિન વેબસાઇટ (cowin.gov.in) પરથી પણ નોંધણી કરાવી શકો છો.
આ પણ વાંચો :- Covid-19ના કારણે મૃત્યુ પામેલ મિત્ર પાછળ રસ્તા પર રૂપિયા ઉડાવનાર વ્યક્તિનો વિડિઓ વાયરલ
મૃત્યુના પ્રમાણપત્ર પર નરેન્દ્રમોદી ની જાહેરાત અંગે વાયરલ થયેલ પોસ્ટ અંગે વધુ તપાસ કરતા .cowin.gov.in વેબસાઈટ પર વેક્સીન લેવા અંગે રજીસ્ટ્રેશન કર્યા બાદ મળતું પ્રમાણપત્ર સર્ચ કરતા નીચે મુજબની તસ્વીર જોઈ શકાય છે.
આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર મૃત્યુના પ્રમાણપત્ર હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરમાં લખેલ માહિતી જોવા પ્રયત્ન કરતા “provisional certificate for covid 19 vaccination 1st dose” જોવા મળે છે. જે સાબિત કરે છે વાયરલ તસ્વીર મૃત્યુ નોંધ નથી.
મૃત્યુ નોંધના પ્રમાણપત્ર પર નરેન્દ્રમોદી ની જાહેરાત આપવામાં આવેલ હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ, કોવીડ વેક્સીન લેવા માટે કરવામાં આવતા રજીસ્ટ્રેશન ફોર્મ પર વેક્સીન લેવા પ્રેરિત કરતી ટેગલાઈન સાથે PM મોદીની તસ્વીર જોવા મળે છે. વાયરલ તસ્વીર વેક્સીન રજીસ્ટ્રેશન ફોર્મ છે, જેને મૃત્યુ નોંધ પ્રમાણપત્ર હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
cowin.gov.in
indiatimes
Google search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar
February 8, 2025
Komal Singh
November 19, 2024
Tanujit Das
November 18, 2024
|