schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
પંજાબના સીએમ ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું રહ્યું છે કે માન રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યા હતા. આ સમાચાર પછી સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જ્યાં માન હોસ્પિટલના બેડ પર આંખો બંધ કરીને સુતેલા જોવા મળી રહ્યા છે.
સોશ્યલ મીડિયા યુઝર દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, “પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીની એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે”. ભગવંત માનના હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ પર વિવિધ કેપ્શન સાથે ઘણા લોકોએ ટ્વિટર અને ફેસબુક પર આ તસ્વીર શેર કરી છે. નોંધનીય છે કે ભગવંત માનને હાલ પેટમાં દુ:ખાવા બાદ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને ઇન્ફેક્શન હોવાના કારણે દાખલ કરવામાં આવ્યા હતા.
પંજાબના સીએમ ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે Newschecker હિન્દી ટિમ દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર પર ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર અમને આ તસ્વીર ઈન્ડિયા ટુડે દ્વારા 1 ઓગષ્ટ 2018ના રોજ પ્રકાશિત થયા હતા. અહેવાલ મુજબ, ભગવંત માનને કિડની સંબંધિત સમસ્યા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આજતકના એક અહેવાલ મુજબ માનને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાચારમાં સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે તેમને પથરીની ફરિયાદ હતી. આ દરમિયાન માનને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. પંજાબી મીડિયા હાઉસ પીટીસી ન્યૂઝે પણ સમાન તસ્વીર સાથે અહેવાલ પ્રકાશિત કરેલ છે. નોંધનીય છે કે તે સમયે માન પંજાબના સંગરુરથી સાંસદ હતા. આ ફોટો 1 ઓગષ્ટ 2018ના રોજ કેટલાક પત્રકારોએ પણ શેર કર્યો હતો.
તાજેતરમાં 20 જુલાઈના રોજ એવા અહેવાલ મળ્યા હતા કે ભગવંત માન રૂટીન ચેકઅપ માટે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ગયા હતા. પરંતુ બાદમાં એવા અહેવાલ પણ આવ્યા હતા કે તેમને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. કેટલાક અહેવાલોમાં સૂત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નદીનું પ્રદૂષિત પાણી પીવાથી ભગવંત માનની તબિયત બગડી હતી.
ધ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ભગવંત માનને ગુરુવારે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, અહીં અમે સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતા નથી કે ભગવંત માન એપોલો હોસ્પિટલમાં શા માટે ગયા હતા.
ભગવંત માનને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર ઓગષ્ટ 2018ના લેવામાં આવેલ છે. હાલમાં ભગવંત માનને અન્ય કોઈ બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
Our Source
Reports of India Today and AajTak, published on August 1, 2018
Report of PTC News, published on August 1, 2018
Tweet of Journalist Man Aman Singh Chhina, posted on August 1, 2018
Prathmesh Khunt
March 15, 2022
Prathmesh Khunt
July 23, 2022
Prathmesh Khunt
June 4, 2022
|