Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
સોશ્યલ મીડિયા પર નેશનલ હાઇવેની સર્વિસ અંગે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે હાઇવે પર ગાડી બંધ પડે તો ટોલ પ્લાઝા એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવે છે. વાયરલ મેસેજ વોટસએપ અને ફેસબુક યુઝર્સ મહારાષ્ટ્ર ગ્રાહક સુરક્ષા સમિતિ રાજ્ય પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામ સાથે શેર કરી રહ્યા છે.
ટોલ ફ્રી રસીદની કિંમત સમજો અને તેનો ઉપયોગ કરો*
હાઇવે પર ગાડી બંધ પડે તો ટોલ પ્લાઝા એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવતું હોવાના દાવા અંગે NHAI (નેહસનલ હાઇવે એથોરિટી ઇન્ડિયા)ની ઓફિશ્યલ વેબસાઈટ પર ટોલ પ્લાઝા તરફથી આપવામાં આવતી સેવાઓ અંગે તપાસ શરૂ કરી. અહીંયા જોવા મળતી માહિતી મુજબ Indian Highways Management દ્વારા 1033 હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
1033 હેલ્પલાઈન હાઈવે ઓપરેશન સુવિધાઓ જેમ કે ટોલ પ્લાઝા એમ્બ્યુલન્સ, પેટ્રોલ વ્હીકલ, ક્રેન વગેરે સાથે સંકલિત છે. હાઇવે પર અકસ્માતનો ભોગ બનેલા લોકોને એમ્બ્યુલન્સ, હાઈવે પેટ્રોલ વ્હીકલ અને ક્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
આ ઉપરાંત, Newschecker મરાઠી ટિમ દ્વારા વાયરલ દાવા અંગે સચોટ માહિતી માટે NHAIનો સંપર્ક કર્યો હતો. NHAI દ્વારા વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા અપાતા જણાવ્યું કે હાઇવે એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવતું નથી. વાયરલ મેસેજ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
મહારાષ્ટ્ર ગ્રાહક સુરક્ષા સમિતિ રાજ્ય પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામ સાથે હાઇવે એથોરિટી અંગે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક છે. હાઇવે પર ગાડી બંધ પડે તો ટોલ પ્લાઝા એથોરિટી દ્વારા મફત પેટ્રોલ આપવામાં આવતું નથી. NHAI દ્વારા વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Our Source
Official Website Of NHAI
Telephone conversation with NHAI
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044