About: http://data.cimple.eu/claim-review/2c1bb0ada7df97a535c978ea7cbf3725569b3cbd5aab733e05197403     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: ચૂંટણી પછી નહીં પરંતુ 2014થી ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ છે નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહને માર્ગદર્શક મંડળમાં સામેલ કરવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે. નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ 2014થી માર્ગદર્શક મંડળના સભ્ય રહ્યા છે, જેની રચના પાર્ટીના માર્ગદર્શન માટે કરવામાં આવી હતી. - By: Abhishek Parashar - Published: Jun 27, 2024 at 12:24 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ માર્ગદર્શક મંડળનું વિસ્તરણ કરતાં તેમાં નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહને સામેલ કરી દીધા છે. નરેન્દ્ર મોદી હાલ સરકારમાં વડાપ્રધાન છે, તો રાજનાથ સરકારમાં રક્ષા મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ વર્ષ 2014થી જ ભાજપના માર્ગદર્શક મંડળમાં સામેલ છે. 2014માં તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીની ગતિવિધિઓને માર્ગદર્શન આપવા માટે નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહને તેમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. તેમના સિવાય અન્ય ત્રણ વરિષ્ઠ નેતાઓમાં અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સામેલ હતા. શું છે વાયરલ પોસ્ટમાં? સોશિયલ મીડિયા યુઝર ‘Dharmendra Panchal’ એ વાયરલ પોસ્ટ (આર્કાઈવ લિંક)ને શેર કરતા લખ્યું છે, “ભાજપમાં માર્ગદર્શક મંડળનું થયું વિસ્તરણ, પીએમ મોદી અને રાજનાથ સિંહ સામેલ.” કેરળ કોંગ્રેસના સત્તાવાર એક્સ હેન્ડલ (આર્કાઇવ લિંક) પરથી પણ આ દાવાને શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અન્ય ઘણા યૂઝર્સે આ પોસ્ટને સમાન દાવાની સાથે શેર કરી છે. તપાસ વાયરલ પોસ્ટમાં કરાયેલા દાવાની તપાસ કરવા માટે અમે ભાજપની સત્તાવાર વેબસાઈટને તપાસી. વેબસાઈટ પર અમને માર્ગદર્શક મંડળ વિશે માહિતી મળી, જેમાં હાલમાં નરેન્દ્ર મોદી (વડાપ્રધાન, ભારત), એલ.કે. અડવાણી, ડૉ. મુરલી મનોહર જોશી અને રાજનાથ સિંહ (કેબિનેટ મંત્રી, ભારત સરકાર)નો ઉલ્લેખ છે. એટલે કે ભાજપના માર્ગદર્શક મંડળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ સામેલ છે. જોકે, અમને અહીં તે વાતની માહિતી મળી નથી કે આ વેબ પેજમાં ક્યારે ફેરફારો કરવામાં આવ્યા છે. તેની તપાસ માટે અમે વેબેક મશીન ટૂલની મદદ લીધી. આ ટૂલ એક આર્કાઇવ ટૂલ છે અને તેમાં અમને સૌથી જૂનો આર્કાઇવ 3 જૂન, 2023નો મળ્યો, જેમાં માર્ગદર્શક મંડળના આ જ ચાર નેતાઓના નામ સામેલ છે. અત્યાર સુધીની તપાસથી સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહને 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ માર્ગદર્શક મંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી. અત્યાર સુધી મળેલી માહિતીના આધારે અમે કીવર્ડ સર્ચ કર્યું અને સર્ચમાં અમને ભાજપ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ મળી, જેને 26 ઓગસ્ટ 2014ના રોજ જાહેર કરવામાં આવી હતી. પ્રેસ રિલીઝમાં અપાયેલી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીની ગતિવિધિઓને માર્ગદર્શન આપવા માટે નીચેના વરિષ્ઠ નેતાઓને માર્ગદર્શક મંડળ તરીકે નિયુક્ત કર્યા છે, જેમાં અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને રાજનાથ સિંહનો સમાવેશ થાય છે. વાયરલ પોસ્ટ અંગે અમે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે માર્ગદર્શક મંડળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ શરૂઆતથી જ સામેલ રહ્યા છે. તેમણે કહ્યું, “માર્ગદર્શક મંડળનું કામ પાર્ટીને માર્ગદર્શન આપવાનું રહ્યું છે અને તેમાં જોડાવાનો અર્થ નિવૃત્ત થવાનો નથી.” ધ હિન્દુના 19 જાન્યુઆરી 2015ના રિર્પોટ મુજબ, ભાજપે 2014માં માર્ગદર્શક મંડળની રચના કરી હતી અને પાર્ટીના સ્થાપક સભ્યો અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સંસદીય બોર્ડમાંથી હટાવીને તેમાં સામેલ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે મંત્રીઓની ટીમની સાથે 9 જૂને શપથ લીધા હતા અને 10 જૂને તમામ મંત્રીઓને વિભાગોની વહેંચણી (પોર્ટફોલિયોની વિગતો) કરવામાં આવી હતી. વાયરલ પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ ચારસોથી વધુ લોકો ફોલો કરે છે. ચૂંટણી સંબંધિત અન્ય ભ્રામક અને ફેક દાવાઓને તપાસ કરતા ફેક્ટ ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી સેક્શનમાં વાંચી શકાય છે. निष्कर्ष: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહને માર્ગદર્શક મંડળમાં સામેલ કરવામાં આવ્યા હોવાનો દાવો ખોટો છે. નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ 2014થી માર્ગદર્શક મંડળના સભ્ય રહ્યા છે, જેની રચના પાર્ટીના માર્ગદર્શન માટે કરવામાં આવી હતી. - Claim Review : લોકસભા ચૂંટણી 2024 પછી ભાજપ માર્ગદર્શક મંડળનું થયું વિસ્તરણ - Claimed By : FB User-Dharmendra Panchal - Fact Check : Misleading Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software