schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Manali mall Road
દેશમાં ધીરે ધીરે કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ કોરોના કેસ આવી રહ્યા છે. ત્રીજી લહેર અંગે સતત આશંકા રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે જો લોકો બેદરકારી દાખવશે તો કોરોના કેસ ફરી એક વાર વધી શકે છે. આ દરમિયાન, કોરોના નિયમોની ઉલ્લંઘન કરતી ભીડની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ફેસબુક યુઝર્સ અને કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા આ તસ્વીરો મનાલીના તાજેતરના દિવસોની હોવાના દાવા સાથે પોસ્ટ કરવામાં આવેલ છે. યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે કે બીજી તરંગ હજી સારી રીતે આવી ન હતી એટલે લોકો ત્રીજી લહેરની વ્યવસ્થા કરી રહ્યા છે. જ્યારે, ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ સરકારને નિયમનું પાલન ન કરવા બદલ કડક પગલા ભરવાની માંગ કરી રહ્યા છે.
લોકડાઉન ના નિયમો હળવા થતા મનાલી મોલ રોડ પર મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર કેટલાક વેરિફાઇડ ટ્વીટર યુઝર્સ અને ન્યુઝ ચેનલ એકાઉન્ટ દ્વારા પણ શેર કરવામાં આવેલ છે.
મનાલી મોલ રોડની વાયરલ તસ્વીર અંગે માહિતી માટે કેટલાક કીવર્ડ્સ દ્વારા ગૂગલ પર સર્ચ કરતા Amigosblink નામના ફેસબુક પેજ પર વાયરલ થયેલી તસ્વીર જોવા મળે છે, જે 23 જાન્યુઆરી 2021ના રોજ પોસ્ટ કરવમાં આવેલ છે.
વધુ માહિતી માટે અમે વાયરલ થયેલી તસ્વીર લેનાર વ્યક્તિ અજયકુમાર સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે “તસ્વીર અંગે સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલો દાવો ખોટો છે. આ તસ્વીર હાલના સમયની નથી પણ 31 ડિસેમ્બર, 2020 ની છે. નવા વર્ષ દરમિયાન, મેં આ ચિત્રને ક્લિક કર્યું હતું. જે મેં થોડા દિવસો પછી મારા ફેસબુક પેજ પર પોસ્ટ કરેલ છે. આ સાથે તેમણે વાયરલ તસવીરને લગતો એક વિડિઓ પણ અમારી સાથે શેર કરી છે, જેમાં લોકોની ભારે ભીડ સ્પષ્ટ જોઇ શકાય છે.
આ પણ વાંચો :- નેધરલેન્ડની સ્કૂલોમાં ભગવત ગીતા ભણાવવા માટે ત્યાંની સરકારે નિયમ જાહેર કર્યો હોવાની ભ્રામક અફવા વાયરલ
આ ઉપરાંત હાલમાં મનાલી અને હિમાચલમાં આટલા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ હોવા અંગે હિમાચલ પ્રદેશના પર્યટન વિભાગના નિયામક અમિત કશ્યપના કહેવા પ્રમાણે, જૂનમાં કોરોના પ્રતિબંધોમાં છૂટછાટ હોવાથી રાજ્યમાં ઘણાં પ્રવાસીઓ રહ્યા છે. 6 થી 7 લાખ પ્રવાસીઓ હિમાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા છે. દરરોજ હજારો લોકો મનાલી અને સિમલાની મુલાકાતે આવે છે, ત્યારે રાજ્યમાં પર્યટકનો ધસારો ઓછો કરવા રાજ્ય સરકારે નેગેટિવ RTPCR રિપોર્ટ અને ઇ-પાસ ફરજિયાત બનાવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મનાલીમાં દરરોજ 1000 થી 1200 વાહનો આવી રહ્યા છે. જ્યારે રજાના દિવસોમાં આ આંકડો વધીને 1800 ની નજીક હોય છે.
લોકડાઉન ખુલ્યા બાદ મનાલી મોલ રોડ પર ખુબજ મોટા પ્રમાણમાં લોકોની ભીડ હોવાના દાવા સાથે જૂની તસ્વીર શેર કરવામાં આવેલ છે. ન્યુઝ સંસ્થાન અને સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક તસ્વીર હાલના સંદર્ભમાં શેર કરેલ છે. જો..કે હાલ મનાલી અને હિમાચલ ખાતે પ્રવાસીઓ ખુબ જ આવી રહ્યા છે. વાયરલ તસ્વીર કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફર દ્વારા આ તસ્વીર અંગે સ્પષ્ટતા આપતી ફેસબુક પોસ્ટ કરવામાં આવેલ છે.
Facebook
twitter
Photographer
ANI
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 8, 2025
Dipalkumar
February 8, 2025
Komal Singh
November 19, 2024
|