schema:text
| - ફેક્ટ ચેક: ચૂંટણી મત નહીં આપો તો બેંક ખાતામાંથી તપાઈ જશે 350 રૂપિયા, જાણો શું છે ઘટના
મત ન આપવા પર બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે તેવા સમાચાર હોળીના અવસરે મજાક માટે છાપવામાં આવ્યા હતા, જેને લઈને ન્યૂઝ પેપરે સ્પષ્ટતા પણ કરી છે. ચૂંટણી કમિશને પણ આ પોસ્ટને ફેક ગણાવી છે.
- By: Sharad Prakash Asthana
- Published: Sep 25, 2022 at 08:01 PM
- Updated: Jul 7, 2023 at 05:02 PM
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ન્યૂઝપેપરનું એક કટિંગ વાયરલ થઈ રહ્યું છે. તેમાં લખ્યું છે કે, આ વખતે લોકસભામાં મત નહીં આપનારના બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે. ચૂંટણી કમિશને કોર્ટ પાસેથી તેની મંજૂરી લઈ લીધી છે.
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે, વાયરલ પોસ્ટ હોળીના અવસરે મજાક માટે લખવામાં આવી હતી, જેને લોકોએ સાચી માનીને શેર કરી દીધી. ચૂંટણી કમિશને તેને ખોટી ગણાવી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યૂઝર Lukman M Patel (આર્કાઈવ લિંક)એ 17 સપ્ટેમ્બરના રોજ ન્યૂઝપેપરના કટિંગને શેર કર્યું હતું. તેનું હેડિંગ છે,
ન આપ્યો પત તો બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે 350 રૂપિયા: આયોગ
તેનું સબ ટાઈટલ આ રીતે છે,
ચૂંટણી કમિશને કોર્ટ પાસેથી પહેલા જ મંજૂરી લઈ લીધી છે.
સમાચારમાં લખવામાં આવ્યું છે કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં મત ન આપવો મોંઘો પડી શકે છે. ચૂંટણી કમિશને મતદાન ન કરાનારા ફરતે ગાળીયો કસવા નવો આદેશ જારી કર્યો છે. મત ન આપનારની ઓળખ આધાર કાર્ડ દ્વારા થશે અને તે આધાર સાથે લિંક તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. કમિશને આ આદેશનો અમલ કરવા બેંકોને કહી દીધું છે.
તેમાં એમ પણ લખ્યું છે કે, જે મતદાતાના એકાઉન્ટમાં 350 રૂપિયા નહીં હોય અથવા જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તેમના પૈસા મોબાઈલ રિચાર્જ વખતે કાપી લેવામાં આવશે.
તપાસ
વાયરલ પોસ્ટની તપાસ માટે અમે કિ વર્ડ વડે ઓપન સર્ચ કર્યું. તેમાં 24 માર્ચ 2019ના રોજ જાગરણમાં છાપેલી એક પોસ્ટ મળી. તે મુજબ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે, મત ન આપવાથી ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે. તેને લઈને ટ્રેઈની આઈએએસ સહ પ્રભારી બીડીઓ આરીફ અહેસાને જણાવ્યું છે કે, વાયરલ પોસ્ટ ભ્રામક છે. આવી ખોટી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરનાર સામે નજર રાખવામાં આવી રહી છે. તેમણે આવી પોસ્ટ પર ધ્યાન ન આપવા કહ્યુ.
28 માર્ચ 2019ના રોજ નવભારત ટાઈમ્સમા જોક્સ સેક્શનમાં છાપવામાં આવેલી પોસ્ટમાં અમને વાયરલ કન્ટેટ મળી ગયું. જો કે, તેમાં ડિસ્ક્લેમર લખ્યું છે કે સમાચાર ફેક છે. તેના હેડિંગમાં લખ્યું છે, હવાબાજી: લોકસભા ચૂંટણીમાં વોટ ન આપનારના ખાતામાંથી કપાઈ જશે 350 રૂપિયા. હેડિંગમાં ઈમોજી બનેલું છે, જે દર્શાવે છે કે આ સમાચાર મજાક માટે લખવામાં આવ્યા છે. સમાચારની નીચે લખ્યું છે, બુરા ન માનો હોલી હૈ.
23 માર્ચ 2019ના રોજ ચૂંટણી કમિશનના પ્રવક્તાના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી ન્યૂઝપેપરનું વાયરલ કટિંગ શેર કરવામાં આવ્યું. તેમાં ન્યૂઝ પેપર તરફથી કરવામાં આવેલા ખંડનને પણ પોસ્ટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે, આ એક ફેક પોસ્ટ છે, જે હોળીના અવસરે મજાક માટે છાપવામાં આવી છે.
29 નવેમ્બર 2021ના રોજ ચૂંટણી કમિશનના પ્રવક્તાના એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યું, આ એક ફેક ન્યૂઝ છે, જેને ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે.
આ અંગે ઉત્તર પ્રદેશ ચૂંટણી કમિશનમાં સંયુક્ત ચૂંટણી કમિશનરના પીએ પ્રદીપ શ્રીવાસ્તવનું કહેવું છે કે આ પોસ્ટ ફેક છે.
વિશ્વાસ ન્યૂઝે પહેલા પણ આ દાવાની તપાસ કરી હતી. પુરી રિપોર્ટ અહીં વાંચી શકો છો.
ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યૂઝર લુકમન એમ પટેલની પ્રોફાઈલ અને સ્કેન કરી. જેમાં જાણવા મળ્યું કે તે એક રાજકીય પાર્ટીથી પ્રેરિત છે.
निष्कर्ष: મત ન આપવા પર બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે તેવા સમાચાર હોળીના અવસરે મજાક માટે છાપવામાં આવ્યા હતા, જેને લઈને ન્યૂઝ પેપરે સ્પષ્ટતા પણ કરી છે. ચૂંટણી કમિશને પણ આ પોસ્ટને ફેક ગણાવી છે.
- Claim Review : મત ન આપનારના બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે.
- Claimed By : ફેસબુક યૂઝર- લુકમન એમ પટેલ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
|