About: http://data.cimple.eu/claim-review/571e57046ee83ea28c6beaef7a778eee1b955ecb60d6ee75ea87b0db     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Last Updated on April 28, 2024 by Team THIP સારાંશ એક પોસ્ટ એવો દાવો કરે છે કે તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી અસમાન ત્વચાનો રંગ અને ડાર્ક સ્પોટ્સની સારવાર કરવામાં મદદ મળી શકે છે અને તે તમારી ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને સુંદર બનાવી શકાય છે. અમે આની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે આ દાવો અડધો સાચો છે. દાવો પોસ્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે, “તમારો ચહેરો સાફ કરો અને ગરમ પાણીમાં ડૂબાડેલા ટુવાલને 2 મિનિટ સુધી ચહેરા પર રાખો અને પછી રાત્રે એલોવેરા જેલ લગાવો, તે અસમાન ત્વચાનો રંગ, કાળી ફોલ્લીઓ અને ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને સુંદર બનાવે છે.” ફેકટ ચેક એલોવેરાના ફાયદા શું છે? એલોવેરા જેલ માનવ શરીર માટે ઘણું ફાયદાકારક છે. તે વિટામીન A, C, E અને B12 જેવા વિવિધ વિટામિન્સથી ભરપૂર છે. તેમાં બળતરા વિરોધી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ છે અને તે દાઝને મટાડવામાં મદદરૂપ છે. તે ત્વચાને ભેજયુક્ત, શાંત અને હાઇડ્રેટ કરવામાં પણ મદદ કરે છે, આમ ત્વચાની શુષ્કતામાં મદદ કરે છે. તે નાના ઘાવ અને કટ પર પણ લગાવી શકાય છે. શું એલોવેરાનો ઉપયોગ તમારી ત્વચાને ચમકદાર અને સુંદર બનાવી શકે છે? જરુરી નથી. અમુક લોકોની ત્વચા તેના પ્રત્યે સંવેદનશીલ હોય છે. જેથી તેઓ ખંજવાળ અથવા સહેજ બળતરા અનુભવી શકે છે. આવા લોકોએ તરત જ તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. એ જ રીતે, તેનો ચેપ પર ઉપયોગ કરી શકાતો નથી. કારણ કે, તેમાં માઇક્રોબાયલ ગુણધર્મો હોવા છતાં, તેનું રક્ષણાત્મક સ્તર ઉપચાર પ્રક્રિયામાં અવરોધ ઉભા કરી શકે છે અને ચેપને વધુ ખરાબ કરી શકે છે. નેશનલ સેન્ટર ફોર કોમ્પ્લીમેન્ટરી એન્ડ ઈન્ટીગ્રેટિવ હેલ્થ કહે છે કે કુંવારના તમામ કથિત ફાયદાઓને સમર્થન આપવા માટે પૂરતા ચોક્કસ પુરાવા નથી, જો કે તેનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે ત્યારે સલામત છે. સંક્ષેપમાં એલોવેરા ત્વચાને પોષણ આપે છે અને તેને સ્વસ્થ બનાવે છે, તેમ છતાં, એવા પુરાવા ઓછા છે જે સાબિત કરી શકે છે કે એલોવેરા ત્વચાને ડાઘ-મુક્ત બનાવી શકે છે. કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ (ત્વચા ચિકિત્સક), ડૉ. જ્યોતિ કન્નંગથ કહે છે, “એલોસીન, એલોવેરામાંથી અલગ કરાયેલું સંયોજન, ટાયરોસિનેઝ, ચામડીના રંગદ્રવ્યની રચનામાં સામેલ એન્ઝાઇમને રીતે અવરોધે છે. જો કે, એલોવેરા દ્વારા આદસ્રના પણ ઘણાબધા રીપોર્ટ મળ્યા છે. તેથી એલોવેરા આધારિત ઘરગથ્થુ ઉપચાર શરૂ કરતા પહેલા, ત્વચાની સંવેદનશીલતાનું પરીક્ષણ કરાવો.”
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 5 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software