About: http://data.cimple.eu/claim-review/7c2f8d22ba25f194c9e6f523206313b9af95754982b19ab66b52f275     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • ફેક્ટ ચેકઃ 1 જાન્યુઆરી 2023ના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન નહીં થાય, વાયરલ દાવો ખોટો - By: Ankita Deshkar - Published: Nov 27, 2022 at 04:25 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી 2023ના રોજ થશે. વિશ્વાસ ન્યૂઝે આ દાવાની હકીકત તપાસી અને જાણવા મળ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી, 2023માં નહીં પણ 2024માં થશે. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝર રાજેશ શર્માએ ફેસબુક ગ્રુપ ‘નરેન્દ્ર મોદી કે પ્રસંશકો’માં એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “ગુડ ન્યૂઝ રામ મંદિરનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી 2023ના રોજ થશે, જેઓને જાણીને ખુશ થયા તેઓ લખો #JaiShriRam” પોસ્ટ અને તેનું આર્કાઇવ વર્ઝન અહિંયા જોઈ શકો છો. તપાસ: આ વાયરલ થઈ રહેલા દાવાનું સત્ય જાણવા માટે વિશ્વાસ ન્યૂઝે ગૂગલ સર્ચ કરીને તેની તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં અમને ફાયનાન્સિયલ એક્સપ્રેસની વેબસાઈટ પર શીર્ષક સાથે એક સમાચાર સ્ટોર મળી: અનુવાદ “ફાસ્ટ ટ્રેક પર રામ મંદિર નિર્માણ, 2024ની શરૂઆતમાં ખોલવાનું લક્ષ્ય”. અહેવાલ અહીં વાંચો. અમને હિન્દુસ્તાન ટાઈમ્સની વેબસાઈટ પર પણ આ જ હેડલાઈન સાથેનો અહેવાલ મળ્યો. અનુવાદ: રામ મંદિર ટ્રસ્ટે જાન્યુઆરી 2024 ની શરૂઆતની સમયમર્યાદાને પહોંચી વળવા માટે કાર્યને ઝડપી બનાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટે ડિસેમ્બર 2023 થી 15 જાન્યુઆરી, 2024 વચ્ચે રામ મંદિરના ઉદ્ઘાટનની ખાતરી કરવા માટે પાંચ વર્કશોપમાં કામને વેગ આપ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જાન્યુઆરી 2024 સુધીમાં મંદિરને લોકો માટે ખોલવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. વધુ તપાસ માટે અમે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ની વેબસાઈટ પર આપેલા હેલ્પલાઈન નંબરનો સંપર્ક કર્યો. જેમાં અમને કહેવામાં આવ્યું હતું કે મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરી 2024માં મકર સંક્રાંતિના શુભ દિવસે કરવામાં આવશે. વિશ્વાસ ન્યૂઝે દૈનિક જાગરણના અયોધ્યા સંવાદદાતા રામ શરણનો પણ સંપર્ક કર્યો જેણે અમને જણાવ્યું કે 1 જાન્યુઆરી, 2023ના રોજ રામ મંદિર જાહેર જનતા માટે ખુલતું હોવાની વાત ખોટી છે. વાયરલ દાવા ખોટા છે. વધુ તપાસમાં વિશ્વાસ ન્યૂઝે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાનો પણ સંપર્ક કર્યો. વિશ્વાસ ન્યૂઝ સાથે વાત કરતા ડૉ. મિશ્રાએ કહ્યું, 1 જાન્યુઆરી, 2023ના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે નહીં. વાયરલ પોસ્ટ ફેક છે. 14 જાન્યુઆરી, 2024 પછી ટ્રસ્ટ દ્વારા કોઈ શુભ દિવસ પસંદ કર્યા પછી શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તપાસના અંતે વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવો શેર કરનાર વ્યક્તિનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સર્ચ કર્યું. જેમાં જાણવા મળ્યું કે રાજેશ શર્મા નાયલોવેર ઇન્ડિયામાં ભાગીદાર છે. નિષ્કર્ષ: રામ મંદિરનું ઉદ્ઘાટન 1લી જાન્યુઆરી 2023 ના રોજ થશે નહીં. તેનું ઉદ્ઘાટન 2024માં થશે. આ વાયરલ પોસ્ટ ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. - Claim Review : રામ મંદિરનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી 2023ના રોજ થશે - Claimed By : FB user Rajesh Sharma - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 3 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software