About: http://data.cimple.eu/claim-review/7d1750b92a991e4daaa942cd2def9e51aa101ae986ae503d212a73a6     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Authors Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across. ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, UPમાં સપા, બસપા, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 400થી વધુ બેઠક પર ચૂંટણી લડાશે. સોશ્યલ મીડિયા પર ચૂંટણી સંદર્ભે અનેક પોસ્ટ વાયરલ થતી રહે છે, આ ક્રમમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવનો એક વિડિઓ વાયરલ થયેલ છે. વિડીઓમાં અખિલેશ યાદવ ભારતની આઝાદી મહમદ અલી ઝીણાના કારણે મળી હોવાની વાત કરી રહ્યા છે. ફેસબુક (archive) પર “સારુ થયુ જિન્ના પેદા થયો હતો બાકી હજુ મુલાયમ ભૂરિયાવના પૂછવાડા ચાટતો હોત ટોટી ચોર” ટાઇટલ સાથે અખિલેશ યાદવના એક ભાષણનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. સમાન વિડિઓ ભાજપ નેતા અમિત માલવિયા દ્વારા ટ્વીટર પર “जिन्ना ने हमें आज़ादी दिलायी!” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે દાવા પર newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે. crowdtangle ડેટા મુજબ અને ગુજરાતી કેપશન સાથે શેર કરવામાં આવેલ પોસ્ટ કુલ 1k થી વધુ લોકો દ્વારા જોવામાં આવેલ છે. જયારે ટ્વીટર પોસ્ટ 1kથી વધુ લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવેલ છે. Factcheck / Verification યુટ્યુબ પર અખિલેશ યાદવનું સંપૂર્ણ ભાષણ સાંભળીને જાણવા મળે છે કે તેઓ ભારતના ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે હરદોઈમાં એક રેલી અને સભાને સંબોધન કરી રહ્યા હતા. વિડિયોમાં 9:49 મિનિટ પછી, અખિલેશ યાદવ કહે છે, “સરદાર વલ્લભાઈ પટેલે જમીન પર પકડ રાખીને નિર્ણયો લીધા હતા. તેમના નિર્ણયોના કારણે તેને ‘લોખંડી પુરુષ’ નામ આપવામાં આવ્યું હતું. સરદાર પટેલ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, ઝીણા, આ તમામ બેરિસ્ટર બનવા માટે એક જ સંસ્થામાં અભ્યાસ કર્યો હતો. તેઓ બેરિસ્ટર બન્યા અને દેશની આઝાદી માટે લડ્યા. તેઓ કોઈપણ પડકારોમાંથી પાછળ હટ્યા નથી. જો કોઈએ ‘ચોક્કસ વિચારધારા’ ધરાવતી સંસ્થા (આરએસએસનો ઉલ્લેખ કરીને) પર અંકુશ મૂક્યો હોય તો તે સરદાર પટેલ હતા. બ્રિટિશ શાસનથી ભારતની આઝાદી માટે તેમણે મોહમ્મદ અલી ઝીણાને શ્રેય આપ્યો તે બતાવવા માટે તેમના ભાષણના આ ભાગને સંદર્ભ વગર કાપવામાં આવ્યો છે અને શેર કરવામાં આવ્યો છે. જો કે, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ સહિત અન્ય ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ વિશે વાત કરી હતી. અને એ જ નિવેદનમાં ઝીણાના નામનો ઉલ્લેખ કર્યો. Conclusion ફેસબુક પર અને ભાજપ નેતા દ્વારા અખિલેશ યાદવના ભાષણનો એક ભાગ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે હરદોઈ ખાતે એક રેલી દરમ્યાન આપવામાં આવેલ ભાષણમાં તેઓએ તમામ સ્વાતંત્ર્ય સેનાનીના નામ સાથે ઝીણાનો ઉલ્લેખ કર્યો હતો, જયારે સોશ્યલ મીડિયા પર માત્ર ઝીણાના નામ સાથે શરૂ થતો ભાગ જ શેર કરવામાં આવેલ છે. Result :- Misplaced context Our Source Social media YouTube કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044 Authors Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Hindi
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software