schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim – ભાજપ સરકારની ત્રીજી ટર્મ પહેલા ગુજરાતમાં સાબરમતી ગાંધી આશ્રમના ડિમોલિશન માટે બુલડોઝર મોકલવામાં આવ્યું છે.
Fact – તસવીર ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી છે. બુલડોઝર ગાંધી આશ્રમના ડિમોલિશન માટે નહોતું લવાયું.
તાજેતરમાં જ દેશમાં લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને પરિણામ આવ્યા છે. જેમાં ભાજપના નેતૃત્ત્વવાળું એનડીએ ગઠબંધન સરકાર રચવાની તૈયારીઓમાં છે. તો બીજી તરફ કૉંગ્રેસ સહિતના ‘ઇન્ડિયા’ ગઠબંધને પણ એનડીએને મજબૂત પડકાર આપવા કમરકસી લીધી છે.
દરમિયાન, ગુજરાતમાં સાબરમતી ગાંધી આશ્રમ મામલે તુષાર ગાંધીના એક ટ્વિટ બાદ વિવાદ સર્જાયો છે.
તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભાજપ સરકારની ત્રીજી ટર્મ પહેલા ગુજરાતમાં સાબરમતી આશ્રમ પર બુલડોઝર મોકલવામાં આવ્યું છે. ( આર્કાઇવ લિંક )
કોંગ્રેસના નેતા જયરામ રમેશ સહિત ઘણા લોકોએ એક્સ હેન્ડલ પર આવા દાવા પોસ્ટ કર્યા છે. ( આર્કાઇવ લિંક )
સાબરમતી આશ્રમમાં શા માટે બુલડોઝર મૂકવામાં આવ્યું હતું તેની પાછળની વધુ વિગતો મેળવવા માટે, અમે ગાંધી આશ્રમના સંચાલક/મેનેજરનો સંપર્ક કર્યો, જેમણે સ્પષ્ટતા કરી કે લોકસભાની ચૂંટણી પહેલા કે પછી આશ્રમમાં કોઈ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી નથી.
આશ્રમના સંચાલન વિભાગના કર્મચારી વૈશાલી મિસ્ત્રીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, “આશ્રમ વિસ્તારની આસપાસ અન્ય કેટલાક સમારકામો ચાલી રહ્યા છે અને તેથી આવા વાહન અને મશીનરી ત્યાં છે. જ્યાં સુધી આશ્રમની વાત છે તો, મુખ્ય આશ્રમ કૅમ્પસની અંદર આવી કોઈ ડિમોલિશનની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી નથી.”
ન્યૂઝચેકરે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યૂટી કમિશનર આઈ. કે. પટેલ (IAS)નો પણ સંપર્ક કર્યો, જેમણે પુષ્ટિ કરી કે આશ્રમમાં કોઈ ડિમોલિશનનું કામ થયું નથી.
વાયરલ તસવીર અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે, “ગાંધી આશ્રમમાં ડિમોલિશન નથી થઈ રહ્યું અને એવા કોઈ કામ માટે એ બુલડોઝર લાવવામાં આવ્યું ન હતું. આશ્રમની આજુબાજુ અન્ય કામો ચાલતા હોવાથી તે ત્યાં જ પાર્ક કરવામાં આવ્યું હતું. તેને સોશિયલ મીડિયામાં વાઇરલ દાવા સાથે કોઈ લેવાદેવા નથી.”
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે 1947 પછી બાંધવામાં આવેલી અને સારી સ્થિતિમાં ન હોય તેવી તમામ ઇમારતોને તોડી પાડવામાં આવશે. અને અમે હૃદયકુંજની નજીકના કોઈપણ માળખાને તોડી રહ્યા નથી જે મુખ્ય આશ્રમમાં છે.”
ન્યૂઝચેકરે તુષાર ગાંધીનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો, જેમણે પ્રથમ X હેન્ડલ પર દાવો પોસ્ટ કર્યો હતો.
તેમના પ્રતિભાવ મળ્યા બાદ વાર્તા અપડેટ કરવામાં આવશે.
જોકે, તુષાર ગાંધી દ્વારા ફરી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ આશ્રમની સામે બુલડોઝર વિશે ખોટું બોલ્યા નથી.
તપાસમાં જાણવા મળ્યું છે કે વાઇરલ તસવીર ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી છે. બુલડોઝર ગાંધી આશ્રમમાં ડિમોલિશન માટે લાવવામાં નહોતું આવ્યું.
Sources
Telephonic conversation I. K. Patel (IAS), Deputy-Commissioner, Ahmedabad Municipal Commissioner
Vaishali Mistry, Sabarmati Ashram Preservation and Memorial Trust, Ahmedabad
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 8, 2025
Vasudha Beri
July 11, 2024
Dipalkumar
January 8, 2025
|