Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો છે તેમજ હત્યા પણ કરવામાં આવી રહી હોવાના દાવા સાથે ઘણા ભ્રામક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે જૂથો રસ્તા પર મારા મારી કરતા જોવા મળે છે. આ ઘટના હાલમાં તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે બની રહી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
આ પણ વાંચો : તામિલનાડુમાં બિહારી શ્રમિકોની હત્યાના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોનું સત્ય
તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર જુલાઈ 2022માં ઝી ન્યુઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જે અનુસાર, આ ઘટના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બે જૂથો વચ્ચે અંગત અદાવતના કારણે સર્જાઈ હતી.
આ અંગે વધુ તપાસ કરતા navjivanindia અને divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, સુરેન્દ્રનગરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા.
તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બનેલ ઘટના છે. બિહારી શ્રમિકો સાથે અત્યચારના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
Our Source
YouTube Video Of ZeeNews, on Jul 26, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044