schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
Claim : ઉદ્ધવ ઠાકરેએ મુઘલ શાસક ઔરંગઝેબનો ઉલ્લેખ તેમના ભાઈ તરીકે કર્યો હતો.
Fact : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં ઔરંગઝેબ નામના ભારતીય સેનાના શહીદ જવાનનો ઉલ્લેખ કર્યો હતો
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ મુઘલ શાસક ઔરંગઝેબનો ઉલ્લેખ તેમના ભાઈ તરીકે કર્યો હતો. વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબની બહાદુરીનું વર્ણન કરતા કહે છે, “જો હું હવે કહું કે તે મારો ભાઈ હતો, તેનું નામ શું હતું? હું ઔરંગઝેબ બોલીશ. તે ધર્મ દ્વારા મુસ્લિમ હશે, પરંતુ તેણે પોતાના દેશ માટે પોતાનો જીવ આપી દીધો.”
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેના વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા આ અહેવાલ 01 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ છે.
પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દાવાની સત્યતા જાણવા માટે, અમે કેટલાક કીવર્ડ્સની મદદથી ટ્વિટર પર સર્ચ કરતા TV9 ના પત્રકાર ક્રિષ્ના સોનારવાડકર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક ટ્વીટ જોવા મળે છે. જેમાં વાયરલ વિડિયો શેર કરનાર વપરાશકર્તાને જવાબ આપતા પોતાના ટ્વિટ દ્વારા જણાવ્યું કે ઔરંગઝેબ નામનો એક ભારતીય સૈનિક 2018માં જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયો હતો. રાઈફલમેન ઔરંગઝેબનું 14 જૂન 2018ના રોજ આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. વાયરલ વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે આ શહીદ ઔરંગઝેબ વિશે વાત કરી રહ્યા છે.
આ અંગે વધુ તપાસ કરતા અમને 19 ફેબ્રુઆરીએ ‘દૈનિક ભાસ્કર‘ વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. જે મુજબ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉત્તર ભારતીય સમાજ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મોદી-શાહ પર પ્રહારો કર્યા, સાથે જ કહ્યું કે તેમને ઉત્તર ભારતીય સમાજ અને મુસ્લિમો સાથે કોઈ ઝઘડો નથી. તેણે કહ્યું કે કાશ્મીરમાં દેશ માટે જીવ ગુમાવનાર વ્યક્તિનું નામ ઔરંગઝેબ હતું.
આ પ્રોગ્રામનો વીડિયો યુટ્યુબ પર સર્ચ કર્યો. અમને 19 ફેબ્રુઆરીના રોજ ABP MAJHAની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે 14 મિનિટ 57 સેકન્ડ પછી બોલતા સંભળાય છે કે “આ ત્રણ-ચાર વર્ષ પહેલાંની વાત છે, જેને તમે ભૂલી ગયા હશો અથવા તમે તેના વિશે વાંચ્યું પણ નહીં હોય. આપણો એક સૈનિક કાશ્મીરમાં હતો અને તે રજા લઈને તેના પરિવારને મળવા ઘરે જઈ રહ્યો હતો. ત્યારે જ આતંકીઓને ખબર પડી કે તે રજા લઈને એકલો જઈ રહ્યો છે, તો વચ્ચે જ તેણે તેનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી. થોડા દિવસો પછી, તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તે આપણો હતો કે નહિ? જેણે દેશ માટે બલિદાન આપ્યું છે.હવે જો હું કહું કે હા, તે મારો ભાઈ હતો,પણ શું તમે જાણો છો કે તેનું નામ શું છે? તેનું નામ ઔરંગઝેબ હતું. તે ધર્મ દ્વારા મુસ્લિમ હશે, પરંતુ તેણે પોતાના દેશ માટે પોતાનો જીવ આપ્યો. ભારત મા જેની જય કહેવાય.
આ ઉપરાંત, અમને ઉદ્ધવ ઠાકરેના સંબોધનનો આ વીડિયો તેમના સત્તાવાર ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, જૂન 2018માં ભારતીય સેનાનો જવાન ઔરંગઝેબ, જે ઈદની ઉજવણી કરવા ઘરે જઈ રહ્યો હતો. આતંકવાદીઓ દ્વારા આ જવાનાનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર , ઔરંગઝેબનો મૃતદેહ પુલવામા જિલ્લાના ગુસુ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. રાષ્ટ્રીય રાઈફલ્સના શહીદ જવાન ઔરંગઝેબને ભારતીય સેના દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણમાં ઔરંગઝેબ નામના ભારતીય સેનાના શહીદ જવાનનો ઉલ્લેખ કર્યો હતો, જેને મુઘલ શાસક ઔરંગઝેબના ખોટા દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.
Our Source
Tweet by TV9 Marathi Journalist Krishana Sonwarwadkar on February 28, 2023
Report Published by Dainik Bhaskar on February 19, 2023
Youtube Video uploaded by ABP Manjha on February 19,2023
Video Uploaded by Uddhav Thackeray’s official Facebook Page.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|