About: http://data.cimple.eu/claim-review/e154d1d781da755f1f43ff5920b87c713881fe7f4a3bed6c49ff1894     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: નીરવ મોદીએ લંડનની કોર્ટમાં નથી આપ્યું ભાજપને લઈને આવું કોઈ નિવેદન, વાયરલ પોસ્ટ ફેક વિશ્વાસ ન્યૂઝ અગાઉ પણ આ દાવાની તપાસ કરી ચૂક્યું છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે ફેક હોવાનું જાણવા મળ્યું હતું. નીરવ મોદીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. - By: Ashish Maharishi - Published: May 20, 2024 at 01:17 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે નીરવ મોદી સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 1:33 મિનિટના આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસના મુખ્ય આરોપી નીરવ મોદીએ લંડનની એક કોર્ટમાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેને ભારતમાંથી ભાગવામાં મદદ કરી અને તેના બદલામાં તેણે આ નેતાઓને કથિત રીતે 456 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. વિશ્વાસ ન્યૂઝ અગાઉ પણ આ દાવાની તપાસ કરી ચૂક્યું છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે ફેક હોવાનું જાણવા મળ્યું હતું. નીરવ મોદીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર ‘સપોર્ટર દિલીપ મૌર્ય ગોરખપુર’એ 11 મેના રોજ એક વીડિયોને અપલોડ કરીને દાવો કર્યો કે, ”નીરવ મોદીનો ખુલાસો, બીજેપીના ધબકારા તેજ, ઓછામાં ઓછા 10 ગ્રુપમાં મોકલીને હકનો સાથ આપો. તેને ખૂબ જ ઝડપથી ફોરવર્ડ કરો. જનતાએ વાસ્તવિકતાથી વાકેફ થવું જોઈએ.” વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોને સમાન દાવા સાથે શેર કર્યો છે. તપાસ વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ વાયરલ પોસ્ટના દાવાની તપાસ કરી ચૂક્યું છે. નીરવ મોદી સાથે જોડાયેલો આ ખોટો દાવો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે. આ વખતે તેને લોકસભા ચૂંટણીની વચ્ચે વાયરલ કરીને જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ ન્યૂઝે નીરવ મોદી કેસમાં નવીનતમ અપડેટ્સ જાણવા માટે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. અહીં સર્ચ કરતાં અમને ઘણી ન્યૂઝ વેબસાઈટ પર નીરવ મોદી સાથે જોડાયેલા સમાચાર મળ્યા. 7 મે, 2024ના રોજ ABP Live.com પર પ્રકાશિત થયેલા એક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ”નીરવ મોદીને યુનાઇટેડ કિંગડમની કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નીરવ મોદીએ 16 એપ્રિલ 2024ના રોજ યુકેની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 5મી વખત જામીન માટે અરજી કરી હતી, પરંતુ 7 મે 2024ના રોજ સુનાવણી દરમિયાન તેને ફગાવી દેવામાં આવી હતી.” આ સમાચારને અહીં વાંચી શકાય છે. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દાવાના આધારે કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કર્યું. અમને એક પણ એવા વિશ્વસનીય સમાચાર નથી મળ્યા, વાયરલ દાવાની પુષ્ટિ કરી શકે. 7 મે 2024ના રોજ Jagran.com પર પણ આ અંગેના સમાચાર પ્રકાશિત થયા હતા. જેમાં જણાવવા આવ્યું છે કે, ”પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર થયેલા ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને યુકેની કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. નીરવે મંગળવારે બ્રિટનમાં નવી જામીન અરજી દાખલ કરી હતી, જેને ન્યાયાધીશે ફગાવી દીધી. નીરવ પાંચ વર્ષ કરતા વધુ સમયથી લંડનની જેલમાં છે.” સમાચારમાં વધુમાં ઉમેર્યું કે, ”ભારતે PNB કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી છે. નીરવ આ કેસમાં પ્રત્યાર્પણનો કેસ હારી ગયો છે. લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજ જાન જાનીએ પોતાના નિર્ણયમાં કહ્યું કે જામીન સામે પૂરતા આધારો છે. એવી સંભાવના છે કે નીરવ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અથવા તે કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર નહીં થાય.” અગાઉની તપાસ દરમિયાન વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવા અંગે બિઝનેસ સ્ટાન્ડર્ડના ડેપ્યુટી ન્યૂઝ એડિટર નીલકમલ સુંદરમ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નીરવ મોદીએ લંડનની કોર્ટમાં આવું કોઈ નિવેદન આપ્યું નથી, જેવો દાવો વાયરલ પોસ્ટમાં કરવામાં આવ્યો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાને લઈને ભાજપના ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે પણ વાત કરી હતી. તેમનું કહેવું છે કે આ પહેલીવાર નથી જ્યારે ભાજપને બદનામ કરવા માટે આ દાવો વાયરલ થયો હોય. ભાજપની છબી ખરાબ કરવા માટે આ દાવો સોશિયલ મીડિયા પર પહેલા પણ ઘણી વખત શેર કરવામાં આવ્યો છે. તપાસના અંતે ફેક વીડિયો પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. એવું સામે આવ્યું છે કે ફેસબુક યુઝર ‘સપોર્ટર દિલીપ મૌર્ય ગોરખપુર’ને પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટ પર આનાથી વધુ માહિતી ઉપલબ્ધ નથી. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝ અગાઉ પણ આ દાવાની તપાસ કરી ચૂક્યું છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે ફેક હોવાનું જાણવા મળ્યું હતું. નીરવ મોદીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. - Claim Review : નીરવ મોદીએ લંડનની કોર્ટમાં બીજેપી વિરુદ્ધ નિવેદન આપ્યું - Claimed By : ફેસબુક યુઝર 'Supporter Dilip Maurya Gorakhpur' - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software