About: http://data.cimple.eu/claim-review/90f63121cbd0750b0de67ffc669925bf939b69cde879335ccb7b1cb2     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: જાગરણના નામે ફેલાવવામાં આવ્યા ફેક ન્યૂઝ, બનાવટી અને તથ્યહીન દાવાઓને સમાચાર જણાવી કરાયા શેર - By: Abhishek Parashar - Published: Apr 5, 2023 at 12:45 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): 2 માર્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમને અખબારોના માધ્યમથી તમિલનાડુમાં કામ કરી રહેલા બિહારના શ્રમિકો પર થઈ રહેલા હુમલાની માહિતી મળી હતી, ત્યારબાદ તેમણે બિહારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નિર્દેશ આપતા રાજ્યના પ્રવાસી શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ દક્ષિણ ભારતમાં હિન્દીભાષી પરપ્રાંતિય શ્રમિકો સાથે ટ્રેનમાં મારપીટનો એક વીડિયો સામે આવ્યો હતો અને આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ સંદર્ભમાં દૈનિક જાગરણના નામથી એક સમાચારનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તમિલનાડુના મુખ્યમંત્રીએ હિન્દી ભાષી લોકોને રાજ્ય છોડવાની અપીલ કરી છે અને જો 20 માર્ચ પછી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાનો કોઈપણ નાગરિક તમિલનાડુમાં રહે છે તો તેને પોતાનો જીવ ગુમાવવો પડશે. આ વાયરલ સ્ક્રીનશોટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન પણ સામેલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે તમામ હિન્દીભાષી શ્રમિકોને પોત-પોતાના રાજ્યોમાં પાછા ફરવાની અપીલ કરી છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે દૈનિક જાગરણ અખબારના નામનો દુરુપયોગ કરીને ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. વાયરલ થઈ રહેલો સ્ક્રીનશોટ જાગરણમાં પ્રકાશિત થયેલા સમાચારનો નથી, પરંતુ એડિટિંગ ટૂલની મદદથી જાગરણના લોગોનો ઉપયોગ કરીને આ સ્ક્રીનશોટ તૈયાર કરવામાં આવ્યો છે. વાયરલ સ્ક્રીનશોટમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના નામથી જોવા મળી રહેલા નિવેદનો પણ બનાવટી અને ફેક છે. શું થઈ રહ્યું છે વાયરલ? સોશિયલ મીડિયા પર દૈનિક જાગરણ અખબારમાં પ્રકાશિત સમાચારના દાવા સાથે એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તમિલનાડુના મુખ્યમંત્રીએ ત્યાં કામ કરતા હિન્દી ભાષી પરપ્રાંતિય શ્રમિકોને રાજ્ય છોડવા માટે કહ્યું છે. સ્ટાલિનના આ આદેશ બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે હિન્દી ભાષી શ્રમિકોને તામિલનાડુ છોડવાની અપીલ કરી છે. તપાસ વાયરલ સ્ક્રીનશોટમાં દૈનિક જાગરણનો લોગો લાગેલો છે, જેના કારણે એવું લાગે છે કે આ સમાચાર જાગરણમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ સ્ક્રીનશૉટ એડિટિંગ ટૂલ્સની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે અને આવા કોઈ સમાચાર દૈનિક જાગરણની કોઈપણ આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવ્યા નથી. સમાચારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામથી જે નિવેદનનો ઉલ્લેખ છે, તે પણ બનાવટી અને ફેક છે. વિશ્વાસ ન્યૂઝે વધારાની પુષ્ટિ માટે દૈનિક જાગરણ ઉત્તર પ્રદેશના સંપાદક આશુતોષ શુક્લાનો સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે દૈનિક જાગરણના લોગોનો દુરુપયોગ કરીને ફેક ન્યૂઝને ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાગરણમાં આવા કોઈ સમાચાર પ્રકાશિત થયા નથી. ન્યૂઝ સર્ચમાં પણ અમને કોઈ એવો રિપોર્ટ નથી મળ્યો, જેમાં યોગી આદિત્યનાથે તમિલનાડુથી તમામ હિન્દી ભાષી શ્રમિકોને પરત આવવાની અપીલ કરી હોય. વિશ્વ ન્યૂઝે વાયરલ મેસેજ અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર મૃત્યુંજય સિંહનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી,” રિપોર્ટ અનુસાર, તમિલનાડુમાં બિહારના શ્રમિકો પર થયેલી હિંસા મામલે શુક્રવારે બિહાર વિધાનસભામાં ભારે હંગામો થયો હતો. વિપક્ષના નેતા વિજય સિન્હાએ 12 શ્રમિકોના મોતનો દાવો કરીને ત્યાં એક ટીમ મોકલવાની અપીલ કરી હતી. બિહાર વિધાનસભામાં થયેલા હોબાળા બાદ તમિલનાડુના પોલીસ મહાનિર્દેશકે વીડિયો નિવેદન જારી કરી આ દાવાઓનું ખંડન કર્યું. તમિલનાડુ પોલીસે 2 ફેબ્રુઆરીએ તેમના સત્તાવાર ટ્વિટર પ્રોફાઇલ પરથી એક વીડિયો નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે બિહારના પરપ્રાંતિય મજૂરો પર હુમલાનો દાવો ખોટો છે અને કેટલાક લોકો ખોટા વીડિયો શેર કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમિલનાડુના ડીજીપીએ તેમના નિવેદનમાં બે વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો છે જેના આધારે તમિલનાડુમાં હિન્દીભાષી પ્રવાસી મજૂરો પર હુમલાના દાવા કરવામાં આવી રહ્યા છે. બંને વીડિયોને ખોટા ગણાવતા તેમણે કહ્યું કે બંને કેસમાં અથડામણ તમિલનાડુના લોકો અને પરપ્રાંતિય મજૂરોની વચ્ચે થઈ નથી. વિશ્વાસ ન્યૂઝે તમિલનાડુ ડીજીપી ઓફિસનો સંપર્ક કર્યો. અમને કહેવામાં આવ્યું હતું કે ડીજીપી દ્વારા પહેલાથી જ આ મામલે એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને “રાજ્યમાં હિન્દી ભાષી પરપ્રાંતિય મજૂરો સુરક્ષિત છે.” નિષ્કર્ષ: તમિલનાડુમાં હિન્દી ભાષી મજૂરોને રાજ્ય છોડવાનો દાવો કરતા દૈનિક જાગરણ લોગો સાથેના વાયરલ સમાચાર ફેક છે, જેને એડિટિંગ ટૂલની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. જાગરણમાં ન તો આવા કોઈ સમાચાર પ્રકાશિત થયા છે અને ન તો તમિલનાડુના મુખ્યમંત્રીએ હિન્દી ભાષી પરપ્રાંતિય મજૂરોને રાજ્ય છોડવા કહ્યું છે. સાથે જ યોગી આદિત્યનાથે પણ હિન્દી ભાષી પરપ્રાંતિય મજૂરોને શક્ય તેટલી વહેલી તકે તેમના રાજ્યોમાં પાછા ફરવાની અપીલ કરી નથી. તેમના નામે વાયરલ થઈ રહેલું આ નિવેદન બનાવટી છે. - Claim Review : દૈનિક જાગરણમાં પ્રકાશિત સમાચાર, તમિલનાડુમાં હિન્દી મજૂરોની હત્યા કરવામાં આવી રહી છે. - Claimed By : FB User-Neha Rajput - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 9 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software