About: http://data.cimple.eu/claim-review/ca2fc10d1709b9b2b6acd11cc7a41e33c5d78e0830180f570fb66e09     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામે ફરી વાયરલ થઈ ફેક પોસ્ટ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામે વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. તેમનું કોઈ હેન્ડલ નથી. - By: Ashish Maharishi - Published: Nov 20, 2023 at 11:31 AM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામે એક ફેક પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેને સાચું માનીને શેર કરી રહ્યા છે. યુઝર્સનો દાવો છે કે આ ટ્વીટ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી તો તે ફેક સાબિત થઈ. મનમોહન સિંહનું કોઈ એક્સ (ટ્વિટર) હેન્ડલ નથી. આ એક ફેક પોસ્ટ છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર અજીત ચૌધરીએ 14 નવેમ્બરે એક પોસ્ટનો સ્ક્રીનશોટ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો. સ્ક્રીનશોટમાં મનમોહન સિંહની તસવીર છે. સાથે લખ્યું છે: ‘ભારતીયોને મંદિરો જોઈતા હતા અને કોંગ્રેસીઓ 70 વર્ષ સુધી IIT, IIM, કોલેજ, હોસ્પિટલ, એરપોર્ટ, રેલવે, ડેમ, ISRO જેવી સંસ્થાઓ બનાવતા રહ્યા, જેને આજે વેચવી પડી રહી છે.’ વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવને વર્ઝન અહીં જુઓ. તપાસ પૂર્વ વડાપ્રધાનના નામે વાયરલ થયેલી પોસ્ટની સત્યતા જાણવા માટે અમે શરુઆત તેના સ્કેનિંગથી કરી. વિશ્વાસ ન્યૂઝે મનમોહન સિંહના નામે વાયરલ પોસ્ટમાં દેખાતા @PMdrmanmohan હેન્ડલને શોધવાનું શરૂ કર્યું. અમને એક્સ (પહેલા ટ્વિટર) પર આ નામનું કોઈ હેન્ડલ દેખાયું નથી. તે સ્પષ્ટ હતું કે આ ફેક છે. આ પોસ્ટને એડિટિંગ ટૂલ્સની મદદથી બનાવવામાં આવી છે. બીજું આ પૂર્વ વડાપ્રધાનનું અસલી હેન્ડલ હોત, તો તે ચોક્કસપણે વેરિફાઈડ હોત. તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે કોંગ્રેસના પ્રવક્તા નીરજ મિશ્રા સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે આ પોસ્ટ ફેક છે. પૂર્વ વડાપ્રધાનનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. મનમોહન સિંહ ક્યારેય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહ્યા નથી. સોશિયલ મીડિયા પર આ પહેલા પણ ઘણી વખત મનમોહન સિંહના નામે ફેક પોસ્ટ વાયરલ થતી રહી છે. જેની વિશ્વાસ ન્યૂઝે સમયાંતરે તપાસ પણ કરી છે. તમે તેને અહીં ક્લિક કરીને વાંચી શકો છો. તપાસના અંતે અમારે એ જાણવું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની નકલી ટ્વીટ વાયરલ કરનાર યુઝર કોણ છે. અમને ફેસબુક યુઝર અજીત ચૌધરીના સોશિયલ સ્કેનિંગ દ્વારા જાણવા મળ્યું કે યુઝર હરિયાણાના ગુરુગ્રામમાં રહે છે. તેના 700થી વધુ ફ્રેન્ડ્સ છે. આ એકાઉન્ટ એપ્રિલ 2013માં બનાવવામાં આવ્યું હતું. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નામે વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. તેમનું કોઈ હેન્ડલ નથી. - Claim Review : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ટ્વીટ - Claimed By : ફેસબુક યુઝર અજીત ચૌધરી - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software